CM Bhupendra Patel : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમના સ્વાગતમાં મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : PM Modi on Budget : બજેટ પર PM મોદીની પ્રતિક્રિયા…કહ્યું, “યુવાનો માટે અમર્યાદિત તકો..નાના વેપારીઓ માટે નવો રસ્તો”