Chandipura Virus in Gujarat: કોરોના (corona) બાદ ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેનો સૌથી વધુ પ્રકોપ ગુજરાતમાં (Gujarat) જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ત્રણ અઠવાડિયાથી ચાંદીપુરા વાયરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 48બાળકોના મોત થયા છે. આ સાથે ચાંદીપુરા વાયરસના 125 કરતા પણ વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 127 કેસ છે. જેમાં સાબરકાંઠાના 12, અરવલ્લી-મહેસાણાના 7, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનના 2, ગાંધીનગર ગ્રામ્ય-ખેડા-જામનગર-વડોદરાના 6, રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠાના 5, અમદાવાદ કોર્પોરેશનના 12, પંચમહાલના 15, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચના 3, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ ગ્રામ્ય-જામનગરના 1, રાજકોટ કોર્પોરેશનના 4 કેસ નોંધાયા છે.
વાયરસ અંગે માહિતી મેળવવા કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા
ચાંદીપુરા વાયરસના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. દેશની તમામ આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.ચાંદીપુરા વાયરસની તપાસ માટે નેશનલ વાયરોલોજીની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. જે અસરગરસ્ત વિસ્તારોાં જઈને તપાસ કરી રહી છે અને માહિતી એકઠી કરી રહી છે.
આ પણ વાંચો : Kupwara Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 જવાન ઘાયલ