Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, અત્યાર સુધીમાં 36 બાળકોનો લીધો ભોગ

July 24, 2024

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત (Gujarat)માં 29 જિલ્લામાંથી 100 જેટલા ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 36 બાળકોના મૃત્યુ થઇ ગયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 5, મહેસાણામાં 4, રાજકોટ (Rajkot)માં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ (Ahmedabad) શહેરમાં 4, ગાંધીનગર (Gandhinagar)માં 5, પંચમહાલમાં 11, જામનગર (Jamnagar)માં 5, મોરબીમાં 4નો સમાવેશ થાય છે. , ગાંધીનગર (Gandhinagar) શહેરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 02, વડોદરા શહેરમાં 01, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1, સાબરકાંઠામાં અરવલ્લીમાં 1, મહેસાણામાં 2, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 1, મોરબીમાં 1 અને વડોદરામાં 1 દર્દી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે.

ગુજરાતમાં 100 શંકાસ્પદ કેસમાંથી 36 દર્દીઓના મોત થયા છે. જેમાં સાબરકાંઠામાં 2, અરવલીમાં 3, મહિસાગરમાં 1, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 01, અમદાવાદ શહેરમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 4, મોરબીમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, 2નો સમાવેશ થાય છે. દાહોદ, વડોદરામાં 1 દર્દીનું અને દેવભૂમિ દ્વારકામાં 1 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 41 દર્દીઓ દાખલ છે અને 3 દર્દીઓ સાજા થયા છે. આ વાયરસના વધતા સંક્રમણને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 17248 ઘરોમાં 121826 વ્યક્તિઓની તપાસ કરી છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

આને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.

આ પણ વાંચોNita Chaudhry : નીતા ચૌધરી મામલે આજે સુનાવણી હાથ ધરાઈ, ગુજરાત હાઇકોર્ટે બુટલેગર સાથેની સાંઠ ગાંઠને લઈને કાઢી ઝાટકણી

Read More

Trending Video