Chaitar Vasava : ગુજરાતમાં વિકસિત ગુજરાત કહેવાય છે. પરંતુ આ ગુજરાતમાં માત્ર શહેરોનો જ વિકાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વિકાસના નામે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તાર સુધી હજુ પૂરતી સુવિધાઓ પહોંચતી નથી. વરસાદમાં બ્રિજ ધોવાય જાય અને પાણીમાં પુલ તણાય જાય તો લોકો ક્યાં જાય. સામાન્ય લોકોના આવન જાવનની રસ્તો છે. અને ત્યાં જ તમે આ પ્રકારની બેદરકારી દાખવો છો તો તેનું શું કરવાનું ? ત્યારે આવો જ એક મામલો ભરૂચથી સામે આવ્યો છે. હવે આ મામલે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને સરકાર પર સીધા જ પ્રહાર કર્યા છે.
Chaitar Vasava એ સ્ટેટ હાઇવે પરનો રસ્તો ધોવાતા સાંસદ સહિત અધિકારીઓનો લીધો ઉધડો #ChaitarVasava #Viralvideo #Nirbhaynews #Gujarat #MansukhVasava pic.twitter.com/Mjcn1sqMqX
— Nirbhaynews (@nirbhaynews1) June 24, 2025
રાજપીપળાથી ડેડીયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઇવે નં.65 પસાર થાય છે. ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગળનાળાનું બે વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું. અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. જેના કારણે ડેડીયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. હકીકતમાં આ નાળુ ભરૂચમાં આવેલ છે, અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દુનિયાને ઉથલ પાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે,આજે ત્રિપલ એન્જિનની સરકારના બધા દાવા ખોટા પડી રહ્યા છે, ભાજપના સાંસદો અને ધારાસભ્ય ફક્ત મોટી મોટી વાતો કરે છે. અને જનતાને મૂર્ખ બનાવી પોતાની વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ જનતા હાલ ત્રાહિમામ પોકારી ઊઠી છે.
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતનો વિકાસ થયો નથી અને BJP સરકાર વિકાસ ગુજરાત મોડેલ ના નામે આખા દેશમાં મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે બે વર્ષ થી એક નાળું નથી બનતું.
આ પણ વાંચો : Ahmedabad માં નિરમા સ્કુલની વાન 10 બાળકો સાથે પલટી, કારે પાછળથી આવી બની ઘટના