Chaitar Vasava : એક તરફ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ તેમના કોને કોઈ નેતાઓ સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. આજે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ બાબતે ભાજપ નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહીત ચૈતર વસાવા (Chaitar Vasava) પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભાજપ નેતા અને ચૈતર વસાવા (Chaitar Vasava) કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે વધી જતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે જે રીતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અને તેના જ કારણે સમર્થકો ભડક્યા છે. અને ચૈતર વસાવાને લઇ જતી પોલીસની વાનને ઘેરી વળ્યાં હતા. કેટલાક લોકો તો પોલીસ વાન પર ચડી ગયા હતા. હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્ર્યા સામે આવી છે.
ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?
આમ આદમી પાર્ટી અત્યારે સતત ચર્ચામાં છે. યુવા આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ની ધરપકડ થતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સાથે ભાજપના લોકોએ હાથાપાઈ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પણ પોલીસે ન લીધી, ઊલટાની ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે અને તંત્રએ ભાજપના લોકો સાથે મળીને લોકતંત્રની હત્યા કરી છે. પોલીસ ચૈતર વસાવાને પોતાના વકીલને પણ મળવા દેતી નથી, આ કયા પ્રકારની લોકશાહી છે? અહંકારમાં આવેલી ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી છે. ડીજીપીને અપીલ ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ FIR કરવામાં આવે અને ચૈતર વસાવાને છોડવામાં આવે.
ચૈતર વસાવાની ધરપકડ થતાં ઇસુદાન ગઢવીએ બીજેપીને લીધી આડેહાથ#ChaitarVasava #Viralvideo #Isudanagadhvi #Nirbhaynews #Aapparty #Dediyapada pic.twitter.com/vGaNbCcTnC
— Nirbhaynews (@nirbhaynews1) July 5, 2025
આ પણ વાંચો : Chaitar Vasava : દેડિયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડ, રોષે ભરાયેલા સમર્થકોએ પોલીસવાનનો કર્યો ઘેરાવ