Buddh Purnima 2025 : બુદ્ધ પૂર્ણિમા ફક્ત બૌદ્ધ ધર્મના લોકો માટે જ ખાસ નથી. પરંતુ હિન્દુ ધર્મમાં પણ તેનું વિશેષ મહત્વ છે. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. તેથી તેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાની સાથે મહાત્મા બુદ્ધના ઉપદેશોનો પ્રચાર કરવાનું પણ મહત્વ છે. મે મહિનામાં બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે.
બુદ્ધ પૂર્ણિમાની તારીખ-
વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ પૂર્ણિમા તિથિ ૧૧ મેના રોજ રાત્રે 08:01 વાગ્યે શરૂ થશે અને 12મેના રોજ રાત્રે10:25 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર બુદ્ધ પૂર્ણિમા 12 મે 2025 ના રોજ ઉજવવામાં આવશે.
બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ-
મહાત્મા બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો અને આ દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ તિથિએ ભગવાન બુદ્ધને બોધગયા ખાતે બોધિવૃક્ષ નીચે તીવ્ર તપસ્યા પછી સત્ય અને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ દિવસ ધ્યાન, તપસ્યા અને કરુણાના અભ્યાસનું પ્રતીક છે.
મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત પૌરાણિક કથા-
હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ એક રાજકુમાર હતા. ગૃહસ્થ હોવા છતાં અને બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં રાજકુમાર સિદ્ધાર્થને જીવન નીરસ અને ધ્યેયહીન લાગ્યું. સિદ્ધાર્થે સત્યની શોધમાં સાત વર્ષ વિતાવ્યા. છેવટે, વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમણે બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું.
ખીર પ્રસાદ-
એવું માનવામાં આવે છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને ખીર ચઢાવવામાં આવે છે.