રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, Ganesh Jadejaનો કરાશે નાર્કો ટેસ્ટ

December 5, 2025

Ganesh Jadeja: રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadejaનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે.

નોંધનીય છે કે, ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું અને સહમત પણ થયા હતા.

આ પણ વાંચો: India Russia Relation : પીએમ મોદી સામે પુતિને કહી દીધું ભારતને તેલનો પુરવઠો ચાલુ રહેશે, ટ્રમ્પ થશે નારાજ!

નોંધનીય છે કે કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોની સંડોવણી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગોંડલના ખુબ જ ચકચારી રાજકુમાર જાટ કેસમાં હવે તાપસનો ધમધમાટ શરુ થયો છે. થોડા સમય પહેલા ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના યુવક ભેદી સંજોગોમાં પોતાના ઘરેથી ગાયબ થઇ ગયો હતો. જે બાદ રાજકોટ નજીક આવેલા તરઘડિયા ઓવરબ્રિજ પાસેથી તેની લાશ મળી આવી હતી. જે બાદ મૃતકના પિતાએ આ મામલામાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને આ કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો હાથ હોવાના આરોપ લગાવ્યા હતા. જે બાદ આ કેસમાં હાઇકોર્ટ દ્વારા સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષ સ્થાને એક તપાસ કમિટી રચવામાં આવી હતી.

 

 

 

 

Read More

Trending Video