Kolkata: ડોકટરોની સુરક્ષાના મામલે કેન્દ્ર સરકારની મોટી પહેલ, હોસ્પિટલોમાં વધશે સુરક્ષા

August 19, 2024

Kolkata: દેશભરમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળને લઈને તબીબોના પ્રતિનિધિમંડળ અને મંત્રાલય વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. આજે પણ આ સંબંધમાં ડોકટરોનું એક પ્રતિનિધિમંડળ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને મળ્યું હતું. જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા માટે મોટા પગલા લીધા છે. કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યા 25% વધારવા અને માર્શલની સંખ્યામાં વધારો કરવા માટે નવા આદેશ જારી કર્યા છે. આ સિવાય મંત્રાલય તરફથી થોડા દિવસ પહેલા સંસ્થાને લઈને આદેશ પણ આવ્યો છે.

બેઠકમાં અન્ય શું ચર્ચા થઈ હતી

બેઠકમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો રેસિડેન્ટ ડોકટરો કમિટી બનાવવા માટે સહમત થાય તો તે કમિટીમાં ડોકટરો અને હોસ્પિટલની સલામતી અંગેના મહત્વના નિર્ણયો અને સૂચનો અંગે ચર્ચા થઈ શકે છે. જેમ કે, ડ્યુટી રૂમ બનાવવામાં આવશે. સીસીટીવી લગાવવામાં આવશે, યોગ્ય લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે. જે કમિટીની રચના કરવામાં આવશે તેમાં રાજ્યોના પ્રતિનિધિઓ અને NMCના પ્રતિનિધિઓ પણ સામેલ હશે.

રાજ્યો પાસે પહેલાથી જ કાયદા છે

દેશના 26 રાજ્યોમાં પહેલાથી જ હેલ્થ કેર વર્કર્સને બચાવવા માટે કાયદા છે. જેમાં 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેસિડેન્ટ ડોકટરોની માંગણીઓ વ્યાજબી નથી. ડોક્ટરો દ્વારા સીપીએ ઓર્ડિનન્સની માંગણી કરવામાં આવી રહી છે તેનો કોઈ ફાયદો નથી. ઘટના નિંદનીય છે. પરંતુ બળાત્કાર અને હત્યાના કેસમાં કાયદા અનુસાર જ કાર્યવાહી કરવામાં આવે છે.

દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે તેને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. દિલ્હીમાં આ વિરોધ દિનપ્રતિદિન મોટો થતો જોવા મળી રહ્યો છે. આજે પણ તબીબોએ આરોગ્ય મંત્રાલયનો ઘેરાવ કર્યો હતો. આ હડતાળના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા દર્દીઓ સારવાર વિના પાછા જતા રહ્યા છે.

 

આ પણ વાંચો: Bajrang Puniaએ કર્યું તિરંગાનું અપમાન, વિનેશ ફોગાટના સ્વાગત દરમિયાન ધ્વજ પર મૂક્યો પગ; ભડક્યા ફેન્સ

Read More

Trending Video