જે કોઈ ત્રિરંગો ફરકાવતા રોકશે તેને હું એક કરોડ આપીશ, Gurpatwant Singh Pannunએ 15 ઓગસ્ટને લઈ આપી પ્રતિક્રિયા

August 8, 2024

Gurpatwant Singh Pannun: શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકી આપી છે. ખાલિસ્તાની સમર્થક પન્નુએ કહ્યું કે સીએમ ભગવંત માનને પંજાબમાં ત્રિરંગો ન ફરકાવવો જોઈએ કારણ કે પંજાબ ભારતનો ભાગ નથી. ભારતના તિરંગાના નેતૃત્વમાં શીખો સામે નરસંહાર થયો અને આજે પંજાબના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. પંજાબના લોકોને ઉશ્કેરનાર આતંકવાદી Gurpatwant Singh Pannunએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે 15 ઓગસ્ટ એ શીખ ધર્મ અને પંજાબનો સ્વતંત્રતા દિવસ નથી. ભગવંત માન જલંધરમાં ત્રિરંગો ફરકાવી રહ્યા છે. આ ત્રિરંગા હેઠળ આપણા શીખોનો નરસંહાર થયો છે. આપણા રાજ્યના શીખ ખેડૂતોની આત્મહત્યા માટે ભગવંત માનની સરકાર જવાબદાર છે.

જે કોઈ ત્રિરંગો ફરકાવતા રોકશે તેને હું એક કરોડ આપીશ

આતંકવાદી પન્નુએ કહ્યું કે ભગવંત માનને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવતા અટકાવવામાં આવશે. જે કોઈ પણ આવું કરશે, મુખ્યમંત્રી ભગવંત માનને તિરંગો ફરકાવતા અટકાવનારને શીખ ફોર જસ્ટિસ 1 કરોડ રૂપિયા આપશે. આ 15મી ઓગસ્ટ પંજાબ અને શીખ ધર્મનો સ્વતંત્રતા દિવસ નથી.
પંજાબને ભારતથી અલગ કરવાનું કાવતરું

આતંકવાદી પન્નુ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે અને ખાલિસ્તાનને સમર્થન આપે છે. પન્નુ ગયા વર્ષે કેનેડામાં માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો સહયોગી છે. નિજ્જરની હત્યા બાદથી પન્નુ સતત દેશ વિરોધી નિવેદનો આપી રહ્યો છે અને દેશના વિવિધ શહેરોમાં આતંકવાદના સમર્થનમાં નારા લખવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે પંજાબને ભારતથી અલગ કરવા માટે પન્નુએ જનમત 2020ની પણ શરૂઆત કરી છે. જેમાં તે શીખોને વોટ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. 2019 માં ભારત સરકારે પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપમાં પ્રતિબંધિત કર્યો હતો. કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2020ના રોજ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સાવધાન! ધરતીની નજીક ઝડપથી આવી રહી છે એવી વસ્તુ.. જેનાથી આવી શકે છે તબાહી: NASA

Read More

Trending Video