Ahmedabad : ગુજરાતમાં અવાર નવાર આગ લાગવાના બનાવ સામે આવતા રહે છે. અને તેની જ વચ્ચે હવે વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આસ્થા બંગ્લોઝની બાજુમાં આવેલા એલિગન્સ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આ કોમ્પ્લેક્સમાંથી અત્યારસુધીમાં 50 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ આગના પગલે કાચ તોડીને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
Ahmedabad : સાયન્સ સિટીના પરિશ્રમ એલિગન્સમા લાગી ભીષણ આગ, બિલ્ડિંગની લિફ્ટમાં અનેક લોકો ફસાયાની આશંકા, ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ
ઘટનાસ્થળે પહોંચી#ahmedabadcity #viralvídeo #sciencecity #sciencecityahmedabad #fire #blast pic.twitter.com/xyBxFGqjwT— Nirbhaynews (@nirbhaynews1) December 12, 2025