AAP ના ખેડૂત આગેવાનને કડદા આંદોલન મામલે મળ્યા જામીન, બહાર આવતાની સાથે જ કર્યો ધડાકો

December 12, 2025

AAP : થોડા દિવસથી ગુજરાતમાં બોટાદ કડદાકાંડ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામે ખેડૂતો સાથે રહી અને આ મામલે મોટાપાયે વિરોધ નોંધાવ્યો હતો. અને બોટાદના હડદડ ગામે કિસાન મહાપંચાયત દરમિયાન એકઠા થયેલ ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. અને આ બબાલ દરમિયાન ખેડૂતોની ધરપકડ કરવામાં આવી. જેમાં AAP નેતાઓ સહીત 85 ખેડુતો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અને હવે તેમના મોટા ભાગના ખેડૂતોને જામીન મળી ગયા છે. આજે આ કડદાના વિરોધમાં જે આમ આદમી પાર્ટીના જ એક નેતાને જામીન મળ્યા છે અને તેઓ ધોરાજી પહોંચ્યા હતા. અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધોરાજીના ખેડૂત આગેવાન જેલમાંથી મુક્ત થતા સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. “સરકાર દ્વારા જેલમાં પૂરેપૂરૂ ટોર્ચર (અત્યાચાર) કરવામાં આવ્યું, કોઈ બાકી નથી રાખ્યું. આગેવાનનો આક્ષેપ જેલની અંદર પણ બહાર જેવો જ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે. કપાસની ખરીદીમાં ચાલતી ‘કડદા પ્રથા’ સામે ઉગ્ર લડાઈ બોટાદની યાર્ડમાં થતા ભ્રષ્ટાચાર સામેની છે. આગેવાને કહ્યું, કપાસના પાલની ખરીદીમાં 1200-1250 રૂપિયા ભાવ આપી ખેડૂતોને ₹200-250 નું મણનુ નુકસાન થતું હતું. ખેડૂતોની લડતના કારણે એક વર્ષમાં ખેડૂતોને ₹500 કરોડનો ફાયદો મળ્યો હોવાનો દાવો. અમે ખેડૂતો માટે સતત લડતા રહ્યા છીએ અને લડતા રહેવાના છીએ, આગેવાને ખાતરી આપી હતી.

આ પણ વાંચોનાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ સાથી ધારાસભ્યને આપી સલાહ, કહ્યું “ડ્રગ્સને રાજકીય મુદ્દો ન બનાવો”

Read More

Trending Video