Big News : પત્રકારત્વ-રાજનીતિ-પત્રકારત્વ, Isudan Gadhvi ના ટ્વવીટથી ચર્ચા તેજ

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લેશે તેવી ચર્ચા

October 25, 2023

પત્રકારત્વમાંથી રાજનીતિમાં ગયેલા ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) રાજનીતિમાંથી (Politics) સંન્યાસ લઈ રહ્યાં છે? તેમણે કરેલા ટ્વીટથી ચર્ચા તેજ થઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના (AAP Gujarat) પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પત્રકાર તરીકે ફરી જોવા મળી શકે છે. રાજકીય પાર્ટીનો મુખ્ય ચહેરો હવે પત્રકારની સીટ ઉપર બેસીને ફરી લોકોના પ્રશ્નોને વાચા આપતો કાર્યક્રમ કરશે તેવી વાત સામે આવી રહી છે.

બેવડી ભૂમિકા

નિર્ભય ન્યૂઝનના (Nirbhay News) ગોપી ઘાંઘર (Gopi Ghanghar) સાથેની વાતચીતમાં તેમણે સુચક નિવેદન આપ્યું કે તેઓ બેવડી ભૂમિકામાં જોવા મળશે. અગાઉ તેઓ ગુજરાતના (Gujarat) જુદાં-જુદાં માધ્યમોમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હતા અને મહામંથન નામના પ્રાઈમ ટાઈમ શૉથી તેઓ ઘર ઘરમાં પ્રચલિત થયાં હતા.

અટકળો શરૂ

આમ આદમી પાર્ટીના નેતાના ટ્વીટ બાદ ફરી અટકળો શરૂ થઈ છે કે તેઓ પત્રકારત્વ ક્ષેત્ર ફરી ઝંપલાવી શકે છે. એક એવી પણ ચર્ચા છે કે તેઓ ગુજરાતની સ્થાનિક ન્યૂઝ ચેનલ GSTV સાથે જોડાયને મહામંથન જેવો કોઈ કાર્યક્રમ શરૂ કરે. પત્રકારત્વમાંથી રાજનીતિ ગયેલી ઈસુદાને ફરી પત્રકારત્વ તરફ પ્રયાણ કર્યું છે.

Read More

Trending Video